પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

સોમવાર, 13 એપ્રિલ, 2020

માઈકલ એન્જેલો મહાન શિલ્પી

                   પ્રેરક પ્રસંગ

આપણે સૌ પણ મહાન બની જ શકીએ

એકવાર એક શિલ્પી રસ્તા પરથી પસાર થતાં હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી. જેને જોઈએ તે લઈ જઈ શકે છે.

શિલ્પી એ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અનેહથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં લાગી ગયા. ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા. તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? શિલ્પી એ કહ્યું કે, 'હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.'

ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.

જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતાં કે, અદ્ભુત...! અદ્ભુત...! એન્જેલો અદ્ભુત...!

બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે ઉપજાવી? ત્યારે શિલ્પી એ કહ્યું કે, 'મેં આંમાંથી કશું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે. વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવે છે.'


-::બોધ::-
આપણે પણ મહેનત થી આપણા જીવનને એક આદર્શ રૂપ બનાવી શકીએ છીએ આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું જ છે. આપણે તે ઓળખી ને તેને સુંદર બનાવવાનું છે.આપણે સૌ પણ મહાન બની જ શકીએ જેમ ઇતિહાસમાં કેટલા લોકો મહાન બન્યા તેમ, ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! તો ચાલો દોસ્તો, "સારા, સાચા અને શાસ્ત્રના વિચારોનો સંગ કરો અને તે વિચારો ને જ તમારું ટાંકણું બનાવો અને તમારી અંદર છુપાયેલ મૂર્તિને બહાર લાવો !!
                                         
                                           
                                    સંકેતકુમાર .વી.રાવત
                             તા.મોરવા(હડફ) જિ.પંચમહાલ
                                        મેખર પ્રાથમિક


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks